Chemistry, asked by legendfflegendff4, 22 days ago

ખનન કઈ રીતે પ્રદૂષિત થાય​

Answers

Answered by mihirchavan01102005
0

Answer:

જળ પ્રદૂષણ એટલે માનવની પ્રવૃત્તિઓના કારણે જયારે સરોવર, નદીઓ, મહાસાગર અને ભૂગર્ભજળ જેવાં જળસ્ત્રોતો દૂષિત થાય છે, અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે તે સ્થિતિ.

જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભે એક મોટી સમસ્યા છે. એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે, [૧][૨]અને એક ગણતરી મુજબ દરરોજ 14,000 લોકોનો જીવ લે છે.[૨] વિકાસશીલ દેશો (developing countries) તો જળ પ્રદૂષણની તીવ્ર સમસ્યાનો સામનો કરી જ રહ્યા છે પણ તે ઉપરાંત ઔદ્યોગિક દેશો (industrialized countries) પણ પ્રદૂષણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ (United States)માં જળ ગુણવત્તા (water quality) અંગેના તાજેતરના રાષ્ટ્રીય અહેવાલમાં નમૂના લેવામાં આવ્યા હોય તેવા 45 ટકા ઝરણાં (stream)-વહેળાના માઈલ (mile), 47 ટકા સરોવરના એકરો (acre), અને 32 ટકા ખાડી (bay) અને નદીમુખ આગળની ખાડી (estuarine)ઓના ચોરસ માઈલ (square mile) પ્રદૂષિત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. [૩]

જયારે પાણી માનવજનક (anthropogenic) દૂષણોથી ડહોળાઈ જાય અને/અથવા જયારે તેનો મનુષ્ય માટેના પેય જળ (drinking water) તરીકે ઉપયોગ ન થઈ શકે અને/અથવા જયારે તે માછલી (fish) જેવા તેના અંગભૂત જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને પ્રદૂષિત ગણવામાં આવે છે. જવાળામુખી (volcano), વડવાનલ (algae bloom), તોફાન (storm) અને ભૂકંપ (earthquake) જેવા કુદરતી ઘટનાઓના કારણે પણ જળની ગુણવત્તામાં અને તેની પર્યાવરણને લગતી સ્થિતિમાં મોટો ફેરફાર આવે છે. જળ પ્રદૂષણ પાછળ અનેક કારણો રહેલાં છે તેમ જ તે અનેક લાક્ષણિકતાઓ ધરાવે છે.

Similar questions