Economy, asked by miteshkatara6, 5 hours ago

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલો વ્યાજનો સિધ્ધાંત બીજા કયા નામે ઓળખાય છે​

Answers

Answered by mitrasaranya67
0

Answer:

પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : મુક્ત અર્થતંત્રમાં શ્રદ્ધા ધરાવતી અર્થશાસ્ત્રની શાખા. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો પ્રારંભ 1776માં ઍડમ સ્મિથે ‘ઍન ઇન્ક્વાયરી ઇન-ટુ ધ નેચર ઍન્ડ કૉઝિઝ ઑવ્ વેલ્થ ઑવ્ નેશન્સ’ નામનું પુસ્તક લખ્યું ત્યારથી થયો ગણી શકાય. આ પુસ્તકમાં ચીજવસ્તુઓ, સેવાઓ વગેરેનાં ઉત્પાદન, વહેંચણી, વિનિમય અંગેના આર્થિક સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. આ પુસ્તક પાંચ વિભાગમાં વહેંચાયેલું છે : બુક નં. 1 એટલે કે વિભાગ 1માં મૂલ્યના સિદ્ધાંતો, બુક નં. 2માં ઉત્પાદન અને વહેંચણીના સિદ્ધાંતો અને બુક નં. 3માં શ્રમ કે મજૂરી અંગેનાં વિશ્ર્લેષણો આપેલાં છે. બુક નં. 4માં વાણિજ્યવાદના (મર્કન્ટાલિસ્ટ) સિદ્ધાંતો અને નીતિની ચર્ચા છે અને બુક નં. 5માં જાહેર વિત્ત-વ્યવસ્થા (public finance) વિશેની ચર્ચા છે. આ વિભાગમાં સ્વ-નિયુક્ત ધંધાદારીઓ અને વ્યક્તિઓને લાભ આપીને પ્રોત્સાહિત કરતી કેટલીક સંસ્થાગત પદ્ધતિઓ અને સરકારની આર્થિક નીતિઓ નક્કી કરવામાં જુદાં જુદાં પ્રબળ જૂથોનો ફાળો વગેરે વિશેની પણ ચર્ચા છે. આમ ઍડમ સ્મિથ ખાનગી મિલકતનો હક અને રાજ્યશાસ્ત્રના આર્થિક સિદ્ધાંતોના પ્રણેતા પણ ગણી શકાય. આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે મળતા નિરપેક્ષ લાભ, દેશના ઉત્પાદન માટે નવી સર્જાતી માંગ અને પરિણામે તેનાં બજારોનો વધતો વિસ્તાર – એ અંગે તથા નાણાંના પુરવઠામાં વધારાને પરિણામે વધતી કિંમતો અને તે બંને વચ્ચેના સંબંધની પણ ચર્ચા કરી છે. આ રીતે અત્યારના અર્થશાસ્ત્રના ઘણા સિદ્ધાંતો અને વિશ્લેષણોનો પ્રારંભ ઍડમ સ્મિથના ઉપર્યુક્ત પુસ્તકમાં જોઈ શકાય છે.

Similar questions