Social Sciences, asked by Mehaksohi4997, 11 months ago

દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન ઐબકે કઈ મસ્જિદ બંધાવી હતી ?
1) મસ્જીદે ચિરાગ 2) મસ્જીદે કુવ્વત 3) મસ્જીદે રસુલ 4) ઇસ્લામ ઉલ કુવ્વત

Answers

Answered by saurabh1578
0
મુજબ એક માત્ર ઈશ્વર "અલ્લાહ"[1] છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દૂત (સંદેશવાહક) છે.આ ધર્મ અલ્લાહના પ્રિય પયગંબર અને નબી મુહંમદ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. અનુયાયીઓની બાબતે ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે (અર્થાત વિશ્વની વસ્તીના ૨૪.૧%), ઇસ્લામના અનુયાયી મુસ્લિમ કે મુસલમાન કહેવાય છે. મુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે જે પોતાના દૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે. મુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ કુરાનછે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસલમાનો માને છે. બીજા ધર્મગ્રંથોને સુન્નત કે હદીસ તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ-મ-ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે. મુસલમાનોમાં મુખ્યત્વે બે સંપ્રદાયો જોવા મળે છે.(૧) સુન્ની મુસલમાનો (૭૫-૯૦%) અને શિયા મુસલમાનો(૧૦-૨૫%).ઇન્ડોનેશિયા વિશ્વનની ૧૩% મુસ્લિમ વસ્તી સાથે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે.૨૩% મુસલમાનો મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં તથા ૩૧% મુસલમાનો દક્ષિણ એશિયા માં અને ૧૫% સબ-સહારાના આફ્રિકામાં વસે છે.કેટલાક મુસ્લિમ સમૂદાયો અમેરિકા,કોકેસસ,મધ્ય એશિયા,ચીન,યુરોપ,દક્ષિણ પૂર્વ એશિયાના ધરાતલ,ફિલીપાઈન્સ,અને રશિયામાં પણ વસવાટ કરે છે.

એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞાપાલન કરવું અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.

પૂર્ણતઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો, વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.

એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને ઈમાન લાવનાર માણાસ માટે અલ્‍લાહ તરફથી શાંતિ સલામતીની બાંહેધરી આપવામાં આવે છે.એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ. અને ઈમાન એટલે શ્રધ્ધા, આસ્‍થા અને એકરાર .

ઇસ્લામના પાંચ મૂળ સ્તંભફેરફાર કરો

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો((arkān al-Islām أركان الإسلام; also arkān al-dīn أركان الدين "pillars of the religion") દરેક મુસલમાન માટે ફરજીયાત માનવામાં આવે છે. આ બાબતો પ્રસિદ્ધ હદીસ "હદીસ એ જિબ્રિલ" માં વર્ણવવામાં આવી છે. [9] [10] [11] [12]

પાંચ સ્તંભફેરફાર કરો

શહાદા(સાક્ષી)સલાત કે નમાઝરોઝા કે ઉપવાસઝકાત કે દાનહજ

વિસ્તારપૂર્વક સમજણફેરફાર કરો

સુન્ની ઇસ્લામ જૂથમાં 5 સ્તંભોને માનવામાં આવે છે જયારેશિયા ઇસ્લામ જુથમાં 6 સ્તંભો છે.

શહાદા સાક્ષી આપવી - અરબી ભાષામાં સાક્ષીના કલમાને આ રીતે લખાય છે: لا اله الا الله محمد رسول الله લીપીયાંતર :લા ઇલાહા ઈલ્લલ્લાહ મુહમ્મદુર રસુલલ્લાહ ગુજરાતી અનુવાદ: અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ(દૂત) છે.આ ઘોષણા સાથે, દરેક મુસ્લિમ એકેશ્વરવાદ અને મોહમ્મદના દૂત હોવાની બાબતને શ્રદ્ધા અને સમર્થન આપે છે. આ ઇસ્લામનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. દરેક મુસલમાન માટે તેને સ્વીકારવું ફરજિયાત છે. કોઈ બિનમુસ્લિમ માટે ઇસ્લામ અંગીકાર કરવા માટે ઇસ્લામિક ધાર્મિક ન્યાયાધીશની સામે આને સ્વીકારી લેવું પૂરતું છે.સલાત- આને પર્શિયનમાં નમાઝ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની પ્રાર્થના છે જે અરબીમાં વિશેષ નિયમો દ્વારા કરવામાં આવે છે. ઇસ્લામ અનુસાર, નમાઝ ઈશ્વર તરફ માનવ કૃતજ્ઞતા દર્શાવે છે. તે મક્કા શહેરમાં આવેલાકાબાની દિશામાં મોઢું રાખીને અદા કરવામાં આવે છે. દરેક મુસ્લિમ માટે દિવસમાં 5 વખત નમાઝ પઢવી ફરજિયાત છે.બીમારીની સ્થિતિમાં પણ તેને ટાળી શકાતી નથી.રોઝા કે ઉપવાસ-ઇસ્લામનો નવમો મહિનો રમઝાન નો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાંથી લઇ સૂર્યાસ્ત (મગરીબ) સુધીના સમય દરમિયાન ભૂખ્યા તરસ્યા રહી રોઝો રાખવો દરેક સમર્થ મુસલમાન માટે ફરજીયાત છે.આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે.જાતીય પ્રવૃત્તિઓ પણ નિષેધ હોય છે.બીમાર કે અસમર્થ વ્યક્તિ ને રોઝા ન રાખવાની છૂટ હોય છે. રોઝાના મુખ્ય બે હેતુઓ છે .એક દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઇ માત્ર ઇશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ, ભિખારી અને દિનદુખીયાઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય.ઝકાત કે દાન - આ એક વાર્ષિક દાન છે જેમાં માલદાર મુસલમાનો પર ગરીબ મુસલમાનોને નાણાકીય સહાય કરવી ફરજિયાત છે. મોટાભાગના મુસ્લિમો દાનમાં તેમની વાર્ષિક આવકના 2.5% દાન કરે છે. આ એક ધાર્મિક ફરજ છે કારણ કે ઇસ્લામ અનુસાર, પુંજી એ ઇશ્વરની ભેટ છે.દાન આપીને જીવન અને માલની સલામતી થાય છે.હજ- હજ એ ધાર્મિક ક્રિયાનું નામ છે જે ઇસ્લામી પંચાંગના છેલ્લા એટલેકે બારમાં મહિનામાં અરબસ્તાનના મક્કા અને મદીના શહેરોમાં જઈને પૂરી કરવામાં આવે છે.માત્ર સક્ષમ અને માલદાર મુસલમાન પર જ આ ફરજીયાત છે,ગરીબો પર નથી.માલદાર મુસલમાન માટે પણ જીવનમાં માત્ર એક વખતજ પઢવી ફરજ છે.

મુસલમાનો માટે આ ૭ બાબતો પર શ્રધા રાખવી જરૂરીફેરફાર કરો

ઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત બાબતોમાં શ્રધા હોવી અનિવાર્ય છે:

૧. એકેશ્વરવાદ: મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.

૨. રિસાલત (ઈશદૂતત્વ): ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ

Similar questions