Science, asked by akashbm1998, 7 months ago

એક સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 20 સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ શોધો,​

Answers

Answered by premkumar1890
0

સમય માપવાનાં સાધનોનો ઇતિહાસ

અન્ય ભાષામાં વાંચો

Download PDF

ધ્યાનમાં રાખો

ફેરફાર કરો

વીતેલા સમયની જાણ રાખવા માટેની રેત-ઘડિયાળ.રેત-ઘડિયાળ એ સૌથી જૂનાં સમયદર્શક સાધનોમાંનું એક હતું

હજારો વર્ષોથી, સમયને માપવા માટે અને સમયની જાણકારી રાખવા માટે વિવિધ સાધનો વપરાતાં આવ્યાં છે. સમય માપણીની હાલની સેક્સાજેસિમલ (60મા ભાગ પર આધારિત) પ્રણાલીનાં મૂળિયાં લગભગ ઈ.સ. પૂર્વે 2000ના વખતમાં, સુમેરમાં રહેલાં છે. પ્રાચીન મિસરના લોકોએ દિવસને 12-કલાકના સમયગાળાઓમાં વહેંચ્યો હતો, અને સૂર્યના હલનચલનની જાણકારી રાખવા માટે તેઓ વિશાળ અણીદાર સ્તંભો વાપરતા હતા. તેમણે જળ ઘડિયાળો પણ વિકસાવી હતી, જે મોટા ભાગે કદાચ સૌથી પહેલાં અમુન-રેના પરિસરમાં વપરાઈ હતી, અને પાછળથી મિસરની બહાર પણ વપરાતી થઈ હતી; પ્રાચીન ગ્રીકો તેને ક્લેપ્સાઈડ્રૅ (જળ ઘડિયાળ) કહેતાં, તેઓ તેનો બહુધા ઉપયોગ કરતા હતા. એ જ ગાળામાં શાંગ રાજવંશ બહાર વહેતો પ્રવાહ ધરાવતી જળ ઘડિયાળ વાપરતો હોવાનું માનવામાં આવે છે, જેને ઈ.સ. પૂર્વે 2000 જેટલા પહેલેના વખતમાં મેસોપોટેમિયામાંથી વિકસાવવામાં આવી હતી. અન્ય પ્રાચીન સમયદર્શક સાધનોમાં સામેલ છે ચીન, જાપાન, ઈંગ્લૅન્ડ અને ઈરાકમાં વપરાતી, મીણબત્તી ઘડિયાળ; ભારત અને તિબેટ તેમ જ યુરોપના કેટલાક હિસ્સાઓમાં વ્યાપક પણે વપરાતી, સમયછડી; અને જળ ઘડિયાળની જેમ જ કામ કરતી રેતીની ઘડિયાળ.

સૌથી પૂર્વકાલીન ઘડિયાળો સૂર્યના કારણે પડતા પડછાયાઓ પર આધાર રાખતી હતી, અને તેથી વાદળિયાં વાતાવરણમાં અથવા રાત્રે તેનો ઉપયોગ થઈ શકતો નહીં તેમ જ જેમ ઋતુઓ બદલાય તેમ (જો સમયદર્શક શંકુ પૃથ્વીની ધરી સાથે યોગ્ય રીતે ગોઠવાયેલો ન હોય તો) તેને પુનઃગોઠવવાની જરૂર પડતી હતી. જેણે આવર્તક ઊર્જાને રહી રહીને થતી ગતિમાં રૂપાંતરિત કરી, તે જળ શક્તિથી ચાલતી ગતિનિયામક કળની પ્રણાલી ધરાવતી સૌથી શરૂઆતની જાણીતી ઘડિયાળ,[૧] પ્રાચીન ગ્રીસમાં ઈ.સ. પૂર્વે 3જી સદીના વખતમાં બની હતી;[૨] તે પછી પાછળથી 10મી સદીમાં ચીની ઈજનેરોએ પારાની શક્તિથી ચાલતી ગતિનિયામક કળ પ્રણાલીઓ ધરાવતી ઘડિયાળોની શોધ કરી,[૩] અને ત્યારબાદ 11મી સદીમાં અરબી ઈજનેરોએ ગિયર અને વજનથી ચાલતી જળ ઘડિયાળોની શોધ કરી.[૪]

14મી સદીના પરોઢે, યુરોપમાં ધાર પર ગતિનિયામક કળ પ્રણાલીઓ ધરાવતી યાંત્રિક ઘડિયાળોની શોધ થઈ, અને 16મી સદીમાં સ્પ્રિંગ-સંચાલિત ઘડિયાળ અને ખિસ્સા ઘડિયાળ ન આવી ત્યાં સુધી તે સમય જાણવા માટેના ધોરણસરના સાધન તરીકે બની રહી, ત્યારબાદ 18મી સદીમાં લોલક ઘડિયાળ આવી. 20મી સદી દરમ્યાન, ક્વાર્ટઝ ઑસિલેટર(લોલક)ની શોધ થઈ, જેના પછી અણુ ઘડિયાળોની શોધ થઈ. શરૂઆતમાં ક્વાર્ટઝ ઑસિલેટરોનો ઉપયોગ અલબત્ત પ્રયોગશાળાઓમાં થતો હતો, પણ ઉત્પાદન કરવા માટે તથા ચોક્સાઈ બંનેમાં તે આસાન હતા, એટલે કાંડા ઘડિયાળોમાં તેમનો ઉપયોગ થવા માંડ્યો. અણુ ઘડિયાળો એ પહેલાંનાં કોઈ પણ સમયદર્શક સાધનો કરતાં ઘણી વધુ ચોક્કસ છે, અને અન્ય ઘડિયાળોને ગોઠવવા માટે તથા પૃથ્વી પર સાચો સમય ગણવા માટે તેમનો ઉપયોગ થાય છે; પ્રમાણભૂત લૌકિક પ્રણાલી, કો-ઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (સંયોજિત વિશ્વ સમય) એ અણુ સમય પર આધારિત છે.

Similar questions