essay on varsha ritu in gujarati 150 words
Answers
Answered by
7
Answer:
ગ્રીષ્મ ઋતુના પ્રખર આતપથી કંટાળેલું જનજીવન વર્ષા ઋતુનું આગમન થતાં ની સાથે જ કંઈક હળવાશ અનુભવે છે. હાશ ! અનુભવે છે. ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે ,
ગરમીથી સમગ્ર સૃષ્ટિ ત્રાસી જાય છે. ઉનાળાની ગરમી, લૂ , અને યાતના સહન કર્યા પછી ઠંડો પવન, શીતળતા અને ઝરમર વરસાદને પરિણામે સમગ્ર માનવજાત સુખ, શાંતી અને રાહતનો અનુભવ કરે છે.
‘ ઉફ ‘ આ ગરમીથી તો તોબા ! નું રટણ રટતો માનવ સમુદાય, હાશ !
નિરાંત થઈ ! નું રટણ કરતો થઈ જાય છે . વૈશાખ જેઠ માસ પૂરા થયા ,અને તપ ગરમીનું સામ્રાજ્ય ઓસરી ગયું.
બધી ઋતુ વર્ષા ની ઉપયોગીતા સૌથી વિશેષ છે .વસંતની સૃષ્ટિ શોભાથી કે શરદની શીતળતા થી જીવન ની ભુખ નથી ભાંગતી .દીન ,દરિદ્ર, દુઃખી અને ભૂખ્યા લોકોને વર્ષા આશીર્વાદરૂપ છે
Similar questions