Ideal students essay in gujarati
Answers
Answered by
1
આદર્શ વિદ્યાર્થી પોતાના વિષયોના અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો હોવો જોઈએ, એ જરીકે આળસુ ન હોય, પ્રમાદ એને પોષાય નહિ. અભ્યાસક્રમનો જે મુદ્દો અઘરો લાગે તેમાં તે પોતાના ગુરુજનો પાસેથી યોગ્ય માર્ગદર્શન અચૂક મેળવે. દરેક પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવવું એ જ તેનું ધ્યેય હોય.
આદર્શ વિદ્યાર્થી એના અભ્યાસક્રમ સિવાયનાં ઇતર પુસ્તકો પણ વાંચતો હોય. પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોના નિયમિત વાંચનથી તેના જ્ઞાનમાં વધારો થતો જાય. ઇતિહાસ-ભૂગોળ-ખગોળ-વિજ્ઞાન જેવા વિષયોનું તો એને જ્ઞાન હોય જ પણ મહાપુરુષોનાં જીવનચરિત્રોથીય તે પરિચિત હોય. આદર્શ જીવન જીવવાની કેળવણી મળે એવાં પુસ્તકો જોઈ એ રાજી રાજી થઈ જાય !
mark me brainlist :)
Similar questions