रावण के बारे में 10 सेंटेंस गुजराती में
Answers
આ કપલ્સનું સંતાન હોય છે રાવણ જેવું અહંકારી
Arjun Parmar | I am Gujarat | Updated: 27 Oct 2017, 10:57:28 AM
રાવણના જન્મની કથા
હિન્દુ પૌરાણિક ઈતિહાસએ વાતનો સાક્ષી છે કે દુનિયાભરમાં લંકાપતિ રાવણ સૌથી મોટો શિવભક્ત હતો. જેની કઠોર તપસ્યાએ શિવજીને પણ તેને વરદાન આપવા માટે મજબૂર કરી દીધા હતા. પરંતુ એક દાનવા ભક્તિની આટલી પ્રબળ ઈચ્છા શું કામ હતી? કેવી રીતે તે એક દૈત્ય થઈને પણ વિદ્વાનો જેવા ગુણોથી પરિપૂર્ણ હતો?
મહાપંડિત રાવણનો જન્મ
સાચા અર્થમાં આ વાતનો રહસ્ય રાવણ સાથે જ જોડાયેલો છે. રાવણ એક ઋષિ પિતા અને અસુર માતની સંતાન હતો. તેના પિતા પ્રખ્યાત ઋષિ વિશ્રવા હતા પરંતુ માતા અસુર હતી જેમનું નામ કૈકેસી હતું.
અસુર રાવણ
એક ઋષિની સંતાન હોવા છતા રાવણે અસુર સ્વરુપે કઈ રીતે જનમ્યો? કેમ તેનો કોઈ સાધારણ મનુષ્યની જેમ નહીં પરંતુ દૈત્ય સ્વરુપે જન્મ થયું.
પૌરાણિક કથા
એક પૌરાણિક કથા અનુસાર રાવણ અસુર સ્વરુપમાં તેની માતાને કારણે જન્મ્યો હતો. જો કૈકેસીએ ભૂલ ન કરી હોત તો રાવણને વિશ્વ દૈત્ય સ્વરુપે ન જાણતું હોત.