Environmental Sciences, asked by rakshajethva9, 5 months ago

શેખ અબ્દુલ્લા શા માટે હજમા જોડાઈ શકતા ન હતા.​

Answers

Answered by piyalidutta22
2

Answer:

please written in English

Answered by vedank13022
0

Answer:

જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ

૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા.

૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ.

૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ.

૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું.

રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો.

૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ.

૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા.

૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.

લોર્ડ માઉન્ટબેટને ૧૭-૦૭-૪૭ શ્રીનગર જઈ રાજા હરિસિંહને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા સમજાવ્યા.

મહારાજા હરિસિંહના પ્રધાનમંત્રી રામચંદ્ર કાકે બ્રીટીશ પત્ની સાથે લગ્ન કર્યા હતાં. આથી તેઓ બ્રીટીશ ષડયંત્રના ભાગ બનીને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા પ્રયત્નશીલ હતા.

અંગ્રેજો કાશ્મીરનો જેટલો ભાગ પાકિસ્તાનમાં જોડાય તે જોવા ઉત્સુક હતા. આથી તે સમયની ભારત-પાકિસ્તાનની સંયુક્ત સેનાના વડા કમાન્ડર-ઈન-ચીફ્ જનરલ લોક હાર્ટ તથા ફીલ્ડમાર્શલ ઓકનલેક કાશ્મીરમાં આક્રમણ થયુ હોવા છતાં લશ્કર મોકલતા ન હતા.

જવાહરલાલ નહેરુ, ભારતદેશના હિત કરતાં શેખ અબ્દુલ્લા સાથે મિત્રતાને વધારે મહત્ત્વ આપતા હોવાથી રાજા હરિસિંહ સત્તા શેખ અબ્દુલ્લાને સોંપે તો જ ભારત સાથે જોડાણ માટે તૈયાર હતા.

બ્રીટન-અમેરિકાની ધરી કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાના મતની હતી. કારણ, (૧) પાકિસ્તાન એમની કૂટનીતિ ચલાવતી ખાંધીયો દેશ બને એમ હતુ. (ર) ચીન, તીબેટ, રશિયા અને અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવતો હોવાથી રશિયાના પ્રભાવમાં ભારત આવવાની શકયતા હતી. (૩) ચીન-રશિયાના વિસ્તારવાદ રોકવા માટે પણ કાશ્મીર પાકિસ્તાનમાં જોડવું જરૂરી લાગતું હતુ. (૪) પખ્તુનિસ્તાન સ્વતંત્ર થવા માંગે તેવો ભય હતો. (પ) પેશાવર, સિયાલકોટ, રાવલપિંડી-પ૦ કિ.મી. દૂર હતા. (૬) પાકિસ્તાનની નદીઓ કારમીરથી શરૂ થતી હોવાથી પાણીની સમસ્યા હતી.

Similar questions