૧. નીચે આપેલ સમાનાર્થી શબ્દો નો અર્થ જણાવો ૧.મરજાદા
Answers
સમાનાધિકરણ નામની પહેલાં અલ્પવિરામ મુકાય છે. જેમકે,
શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર, સૌથી વધુ ગુણ લાવનાર, સૌથી હોંશિયાર, ટબૂકડો ટીનુ, અમારી સાથે અભ્યાસ કરતો હતો.
૩. સમાન કક્ષામાં આવેલા ઘણા શબ્દો કે વાક્યો સાથે ‘એ’, ‘આ’, ‘એવું’, ‘એમ’, ‘તે’, ‘તેમ’, જેવા શબ્દો આવ્યા હોય ત્યારે તે દરેક શબ્દસમૂહ કે વાક્ય પછી અલ્પવિરામ મુકાય છે. જેમકે,
પવનની મંદ લહરીઓ, પક્ષીઓના કર્ણપ્રિય કલરવો, પુષ્પોના સુગંધી પરાગ, એ સૌ વાતાવરણને મનોરમ બનાવતા હતા.
૪. ‘ટૂંકમાં’, ‘સંક્ષેપમાં’, ‘ખરેખર’, ‘સારાંશ કે’, ‘જેમકે’, ‘જેવા કે’—આવા શબ્દો પછી અલ્પવિરામ આવે છે. જેમકે,
તમે અહીં હસો, રમો, ફરો. ટૂંકમાં, ગમે તે કરો; પણ કાંઈ નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશો.
૫. બે કે વધારે શબ્દો કે શબ્દસમૂહો પછી ‘વગેરે’ ‘ઇત્યાદી’ એવા શબ્દો આવે ત્યારે આવા દરેક શબ્દ કે શબ્દસમૂહ પછી અલ્પવિરામ મૂકવું. જેમકે,
ખેતરમાં જતા ખેડૂતોના ડચકારા, બળદને ગળે બાંધેલી ઘંટડીઓના રણકાર, બાજુમાં ફરતી ઘંટીનો ઘેરો નાદ, પનિહારીઓનો પગરવ, બાળકોનો કિલકિલાટ અને બૂમરાણ, વગેરે વડે એક વિચિત્ર સ્વરસપ્તક રચાયું.
૬. સંબોધનાર્થે વપરાયેલા શબ્દ પછી અલ્પવિરામ મુકવું. જેમકે,
રમણ, અહીં આવ.
૭. ક્રિયાપદ આજ્ઞાર્થમાં હોય અને તે પછી આખું વાક્ય તેના કર્મ તરીકે વપરાયું હોય તો તે આજ્ઞાર્થ ક્રિયાપદની પછી અલ્પવિરામ મૂકવું. જેમકે,
જુઓ, આ ફૂલ કેવું સુંદર છે !
સાંભળો, કેવા મીઠા સ્વરો આવે છે !
૮. નામવાક્ય કર્મ હોય અને તે પહેલાં ‘કે’ ન વાપર્યો હોય તો અલ્પવિરામ મૂકવું. જેમકે,
એણે વિચાર્યું, હવે મારું શું થશે ? (એણે વિચાર્યું કે હવે મારું શું થશે ?)
૯. સંયુક્ત વાક્યનાં સહગામી વાક્યો પછી અલ્પવિરામ મૂકવું. જેમકે,