India Languages, asked by chaudharymahamad85, 9 days ago

જેનો પહેલો અક્ષર કાઢી નાખો તો ચમકે, બીજો અક્ષર કાઢી નાખો તો ખુલે,​

Answers

Answered by loknadamjinaga1044
1

Answer:

કુદરમાં ખડકોના ઘરાસા કે ખવાણની પ્રક્રિયાના પરિણામે જમીન બને છે. ખડકોનો ઘસારો એ ખડકો અને ખનીજો પરની વિરચ્છેદન અને વિઘટનની ક્રિયા છે. વિભાજન કે વિચ્છેદન એ ભૌતિક પ્રક્રિયા છે, જ્યારે વિઘટનની ક્રિયા એ રાસાયણિક છે. ખડકોનો ઘસારો અનેક જૈવિક અને અજૈવિક પરિબળોના લીધે થાય છે. ભૌતિક ઘસારો ગરમી-ઠંડી, પાણી થીજી જવાથી, વહેતા પાણીથી દરિયાના મોજાંથી, હિમનદીથી અને પવનથી થાય છે. રાસાયણિક ઘસારો વિવિધ દ્રાવણ જલીયકરણ (હાઈડ્રોલિસિસ), જળ-વિશ્લેષણ (હાઈડ્રલાઈઝ), કાર્બોરેશન, ઉપચયન, અપચયન જેવી ક્રિયાઓથી થાય છે.

જમીન નિર્માણ અને વિકાસની પ્રક્રિયા માટે (૧) આબોહવા, (૨) સજીવો (વનસ્પતિ અને પ્રાણી),(૩) માતૃ-ખડક,(૪) ભૂપૃષ્ઠનાં પરિબળો અને,(પ) સમય વગેરે પરિબળો જવાબદાર છે.

આ પરિબળોમાં આબોહવા અને સજીવો સક્રિય પરિબળો’ તરીકે ઓળખાય છે કારણ કે, તેની સીધી અસર કે ક્રિયાને કારણે જમીન નિર્માણ થાય છે. જયારે માતૃ ખડક, ભૂપૃષ્ઠનાં પરિબળો અને સમય જમીન નિર્માણની પ્રક્રિયામાં સીધી અસર કરતાં નથી કે સક્રિય ભાગ ભજવતા નથી, આથી તે નિષ્ક્રિય પરિબળો તરીકે ઓળખાય છે. સક્રિય પરિબળોની ભૌગોલિક પ્રક્રિયાના લીધે જમીન નિર્માણ થાય છે અને આ પ્રક્રિયાને ઘસારો કે ખવાણ વિધરિંગ) કહે છે.

જમીનની સ્થાનિક પર્યાવરણ પર અસરો:

જમીનની સપાટીનો આકાર, ઊંચાઈ, ઢાળ,અવસ્થિતિ અને ખુલ્લાપણું એ સ્થાનિક પર્યાવરણનાં પરિબળો પર અસર કરે છે અને તેના લીધે જે તે વિસ્તારનું પર્યાવરણ હોય છે.જમીનનો આકાર વરસાદી પવનોને રોકીને એકઠા કરે છે અને આથી તેવા વિસ્તારમાં વધારે વરસાદ પડે છે. પર્વતીય વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને તાપમાનનો તફાવત પણ ઓછો હોય છે. આથી, એકસમાન સરેરાશ તાપમાનવાળા પર્વતીય વિસ્તારની અને મેદાન વિસ્તારની આબોહવામાંયે ઘણો તફાવત જોવા મળે છે.સ્થળની ઊંચાઈ સૂર્ય-વિકિરણ, તાપમાન અને વરસાદ પર અસર કરે છે જેથી તેની વનસ્પતિ પર ઘણી જ મોટી અસર થાય છે. જમીનનો ઢાળ એ વરસાદના વધારાના પાણીના વહેણ અને જમીનની જળ-નિકાલક્ષમતા પર અસર કરે છે. આથી, તે જમીનના ભેજક્ષેત્ર પર અસર કરે છે. સામાન્ય નિયમ પ્રમાણે જેમ ઢાળ વધારે તેમ વહેણ ઝડપી અને નિકાલક્ષમતા પણ વધારે. આથી, પર્વતીય ઢાળ પ્રદેશ અને તળેટીના મધ્યમ ઢાળવાળા પ્રદેશની નિકાલક્ષમતા સારી હોય છે, જયારે મેદાની પ્રદેશની જમીન એકદમ સપાટ હોવાથી તેની નિકાલક્ષમતા બહુ જ ઓછી હોય છે.

Similar questions