‘લોહીની સગાઈ” શીર્ષકની યથાર્થતા સમજાવો.
Answers
Answered by
8
Answer:
' લોહીની સગાઈ ' ઈશ્વર પેટલીકર ' લોહીની સગાઈ ' વાતાૅસંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાતાૅ છે.
Explanation:
આ વાતાૅના કેન્દ્રમાં માતૃત્વ ની ચરમસીમા આલેખન છે. અમરકાકી નાં ચાર સંતાનો બે દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે.
- અમરતકાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતાં હોય છે. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાને સાજી - સારી થઈ પાછી આવે છે એ જોઈ અમરતકાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે.
- મંગુને દવાખાને મૂકવા જતી વખત ની અમરતકાકી ની મન:સ્થિતિ અને ત્યાં ગયા પછીના વાતાૅલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યકત થયો છે. વાતાૅને અંતે લેખકે મૂકેલા શબ્દો 'અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં!'
મંગુના વિચારોમાં અમરતકાકી પણ ગાંડાં થઈ ગયાં એ સંકેત મૂકી દીધો છે. આમ, આખી વાતાૅમાં લેખકે લાઘવથી, શિષ્ટ અને તળપદી ભાષાથી અમરતકાકી નું માતૃત્વ ઉપસાવી આપ્યું. આ છે 'લોહીની સગાઈ' શીષૅકની યથાથૅતા છે.
Similar questions