India Languages, asked by Navien1052, 11 months ago

Write an essay on ozone layer in gujarati

Answers

Answered by bharti8442
0
ઓઝોન અવક્ષય ના બે તદ્દન જુદા, છતાં સંબંધિત નીરિક્ષણો છેઃ 1970ના દાયકાથી પૃથ્વીના ઊર્ધ્વમંડળ(ઓઝોન સ્તર)માંના ઓઝોનના કુલ કદમાં પ્રતિ દશકાએ 4% જેટલો ધીમો, સતત ઘટાડો, અને એ જ સમયગાળામાં પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પરના ઊર્ધ્વમંડળીય ઓઝોનમાં ઘણો મોટો, પણ મોસમી ઘટાડો. અહીં જે બીજી ઘટના વર્ણવી છે તેને સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે સંબંધવામાં આવે છે. ઊર્ધ્વમંડળીય ઓઝોન અવક્ષયની આ જાણીતી ઘટના ઉપરાંત, વસંત દરમ્યાન ધ્રુવીય વિસ્તારોની સપાટી નજીક ઘટતા અધોમંડળીય ઓઝોન અવક્ષયના બનાવો પણ નોંધપાત્ર છે.
ધ્રુવીય ઓઝોન છિદ્રો આકાર લેવાની ઝીણવટભરી પદ્ધતિ અને મધ્ય-અક્ષાંશ સાંકડા થવાની પ્રક્રિયા એકબીજાથી તદ્દન અલગ છે, પણ આણ્વિક કલોરિન અને બ્રોમિન ઉદ્દીપક થકી ઓઝોનનો નાશ એ બંનેમાં આકાર લેતી સૌથી અગત્યની પ્રક્રિયા છે.[૧]ઊર્ધ્વમંડળના આ હેલોજન અણુઓનો મુખ્ય સ્રોત કલોરોફલુરોકાર્બન (CFC) સંયોજનો, જે પ્રચલિત રીતે ફ્રેઓન્સ તરીકે ઓળખાય છે અને બ્રોમોફલુરોકાર્બન સંયોજનો, જે હૅલોન્સ તરીકે ઓળખાય છે તેનો ફોટોવિચ્છેદ છે. આ સંયોજનો સપાટી પર ધકેલાઈ જાય તે પછી તે ઊર્ધ્વમંડળમાં પરિવહન પામે છે.[૨] સીએફસી (CFCs) અને હૅલોન્સ બંનેના બહાર ધકેલાવાની પ્રક્રિયા વધવાથી, બંને ઓઝોન અવક્ષયની પદ્ધતિઓ પણ વધુ બળવાન બની છે.
Answered by TbiaSupreme
1

ઓઝોન ઊર્ધ્વમંડળના નીચલા સ્તરમાં આવેલો એક ગેસ છે. તે એક પ્રકારનો  ઓક્સિજન (O3) છે. તે વાતાવરણમાં એક પાતળું સ્તર બનાવે છે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ સામે પૃથ્વી પર આવરણ તરીકે કાર્ય કરે છે અને સૂર્યના કિરણોત્સર્ગથી જીવસૃષ્ટિને બચાવે છે.

વાતાવરણમાં કેટલાક પ્રદૂષકો જેમ કે ક્લોરોફ્લોરો-કાર્બન ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. આ સીએફસી અને તેના જેવા અન્ય ગેસ જ્યારે ઊર્ધ્વમંડળમાં પહોંચે છે ત્યારે તે અલ્ટ્રા-વાયોલેટ કિરણોત્સર્ગ દ્વારા તૂટી જાય છે અને પરિણામે તેઓ ક્લોરિન અથવા બ્રૉમાઇનના પરમાણુ મુક્ત કરે છે. આ અણુઓ ઓઝોન સાથે ખૂબ પ્રતિક્રિયાશીલ છે, જે ઓઝોન સ્તરમાં ગાબડાં પાડે છે. ઓઝોન સ્તરમાં ગાબડાં પડવાને કારણે  સૂર્યનાં અલ્ટ્રા-વાયોલેટ કિરણો સીધાં પૃથ્વી પર પહોંચે છે અને પૃથ્વી પરનાં જીવંત પ્રાણીઓને નુકસાનકારક અસર કરે છે. તે છોડમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને અસર કરે છે. તાપમાનમાં વધારો, વિવિધ ચામડીના  રોગો, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરે નુકશાનકારક પરિણામો સર્જે છે.

આમ, આપણે સૌએ જાગૃત બની ઓઝોન સ્તરને બચાવવાના પૂરતા પ્રયત્નો કરવા જોઇએ.


Similar questions