India Languages, asked by PragyaTbia, 10 months ago

Write an essay on teachers day in gujarati

Answers

Answered by TbiaSupreme
8

દર વર્ષે મહાન વ્યક્તિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનના જન્મદિવસ પર શિક્ષકદિન ઉજવવામાં આવે છે. તેઓ અધ્યાપન વ્યવસાયને સમર્પિત હતા. એવું કહેવાય છે કે એક વખત કેટલાક વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસના દિવસે તેમનો જન્મ દિવસ ઉજવવા માટે આગ્રહ કરેલો. તે વખતે તેમણે જણાવ્યું હતું કે, મારો જન્મદિવસ ઉજવવાને બદલે આપ સર્વે ભેગા મળીને શિક્ષકોના મહાન કાર્ય અને યોગદાન બદલ શિક્ષકોને સન્માન આપવા હેતુ આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવો. માત્ર શિક્ષકો જ દેશના ભવિષ્યના વાસ્તવિક આકૃતિકર હોય છે. એટલે કે દેશનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાર્થીઓના વિકાસથી જ સંભવ છે.

શિક્ષકો દેશમાં રહેતા નાગરિકોના ભાવિને ઉત્તેજન આપીને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. પરંતુ સમાજમાં કોઈએ શિક્ષકો અને તેમના યોગદાન વિશે વિચાર્યું નથી. પરંતુ શિક્ષકદિનની ઉજવણીનો તમામ યશ  ભારતના મહાન નેતા ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને  જાય છે, જેમણે તેમનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવાની સલાહ આપી હતી. ઇ.સ.1962 થી દર વર્ષે 5મી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક આપણને ફક્ત વિષયોજ શીખવતા નથી પણ આપણા વ્યક્તિત્વ, માન્યતા અને કૌશલ્ય સ્તરને પણ સુધારે છે. તેઓ આપણને કોઈપણ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે.


Similar questions